કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય વાર્ષિક સંકલન બેઠકનો આજે બીજો દિવસ

Featured | દેશ | સમાચાર, કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય વાર્ષિક સંકલન બેઠક શનિવારે (31 ઓગસ્ટ) સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં RSSના સરસંઘચાલક

New Update
bhavat

કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય વાર્ષિક સંકલન બેઠક શનિવારે (31 ઓગસ્ટ) સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવત, સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે અને તમામ સહકાર્યવાહ હાજર છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ બેઠકમાં પહોંચ્યા છે.

બેઠકમાં વાયનાડમાં ભૂસ્ખલનમાં RSS દ્વારા કરવામાં આવેલી મદદ અંગે માહિતી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત બંગાળમાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડર કેસની પણ ચર્ચા થઈ શકે છે.RSSના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જણાવ્યું હતું કે આ બેઠકમાં RSSની 32 સંલગ્ન સંગઠનોના 320 પ્રતિનિધિઓએ હાજરી આપી છે. 2 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ બેઠકનો ઉદ્દેશ્ય સંલગ્ન સંગઠનો સાથે વધુ સારું સંકલન બનાવવાનો છે.

Latest Stories