મુંબઈમાં વરસાદને પગલે સ્ટેશનો પર પાણી ભરાવાથી ટ્રેનો રદ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં મુંબઈમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

New Update
ટ્રેન

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં મુંબઈમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં, મુંબઈમાં બપોરે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.

 દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં, વરસાદને કારણે મુંબઈના ઘણા મુખ્ય રેલવે સ્ટેશનો પર પાણી જમા થઈ ગયું છે,

જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.માહિતી આપતા રેલ્વેએ કહ્યું કે મુંબઈ ડિવિઝનના ઘણા રેલ્વે સ્ટેશનો પર પાણી ભરાઈ જવાને કારણે આજે ટ્રેનો રદ રહેશે.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.