ઉત્તરાખંડ: બદ્રીનાથ હાઇવે પર મીની બસ નદીમાં ખાબકતા 8 શ્રધ્ધાળુના મોત

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મીની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની બસમાં 25 શ્રદ્ધાળુઓ સવાર હતા.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

New Update

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મીની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની બસમાં 25 શ્રદ્ધાળુઓ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.

તમામ શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પોલીસને મદદ કરી રહ્યા છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.જ્યાં અકસ્માત થયો ત્યાં રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે 3 મજૂરો નદીમાં કૂદી પડ્યા હતા. તેમાંથી બે પાછા આવ્યા. જ્યારે એકનું મોત થયું હતું. મીનીબસ જ્યાં ખાબકી છે તે જગ્યા 250 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે.

#અકસ્માત #ઉત્તરાખંડ #અલકનંદા નદી #બદ્રીનાથ હાઈવે
Here are a few more articles:
Read the Next Article