ઉત્તરાખંડ : કેબિનેટમંત્રી ચંદન રામ દાસનું નિધન, મુખ્યમંત્રી ધામીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

અચાનક ચંદન રામ દાસની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને બાગેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

New Update
ઉત્તરાખંડ : કેબિનેટમંત્રી ચંદન રામ દાસનું નિધન, મુખ્યમંત્રી ધામીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી ચંદન રામ દાસનું બુધવારે અવસાન થયું. કેબિનેટ મંત્રીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બાગેશ્વર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ICUમાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામી ગયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બાગેશ્વરના ધારાસભ્ય અને ઉત્તરાખંડના મંત્રી ચંદન રામ દાસનું બુધવારે અવસાન થયું. બુધવારે અચાનક તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને બાગેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


પરંતુ થોડા સમય બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા સીએમ ધામીએ કહ્યું, "કેબિનેટમાં મારા વરિષ્ઠ સાથીદાર શ્રી ચંદન રામ દાસ જીના આકસ્મિક નિધનના સમાચારથી મને આઘાત લાગ્યો છે. તેમનું અવસાન જનસેવા અને રાજનીતિના ક્ષેત્રે અપુરતી ખોટ છે. ઈશ્વર પુણ્યશાળી આત્માને તેમના ચરણોમાં સ્થાન તથા તેમના પરિજનો અને સમર્થકોને આ અપાર કષ્ટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ:"

Read the Next Article

ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, 3-4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે.

New Update
UTTRAKHAND LANDSLIDE

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. આવી સ્થિતિમાં, ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે. દરમિયાન, ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર, વિક્રમ સિંહે માહિતી આપી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રાળુઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતા 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.