ઔરંગઝેબ મકબરાના વિવાદમાં મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી

ઔરંગઝેબ મકબરાના વિવાદને લઈને સોમવારે રાત્રે 8:30 વાગ્યે મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું

New Update
orang

ઔરંગઝેબ મકબરાના વિવાદને લઈને સોમવારે રાત્રે 8:30 વાગ્યે મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું હતું, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે અફવાઓ ફેલાઈ હતી કે વિરોધીઓએ પૂતળાની સાથે ધાર્મિક પુસ્તક પણ બાળ્યું હતું. જેના કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

બે જેસીબી સળગાવી દેવામાં આવ્યા હતા.
હોબાળો મચાવનારા લોકોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. ડીસીપી નિકેતન કદમ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે 55 થી વધુ લોકોની અટકાયત કરી છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું- અમે સતત પોલીસ પ્રશાસનના સંપર્કમાં છીએ. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે. કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરો.

Advertisment
Latest Stories