ભારતે પોખરણમાં કર્યું નાગ મિસાઇલનું પરીક્ષણ, દુશ્મનની ટેંકને આસાનીથી કરશે ધ્વંસ

New Update
ભારતે પોખરણમાં કર્યું નાગ મિસાઇલનું પરીક્ષણ, દુશ્મનની ટેંકને આસાનીથી કરશે ધ્વંસ

ભારતે ગુરુવારના રોજ સવારે સુરક્ષાની દ્રષ્ટિએ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રાજસ્થાનના પોખરણમાં નાગ એંટી ટેંક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.

DRDO દ્વારા નિર્મિત આ દેશી મિસાઇલનું પરીક્ષણ પોખરણમાં ગુરુવારે વહેલી સવારે 06.45 કલાકે કરવામાં આવ્યું છે. નાગ મિસાઇલ સંપૂર્ણ રીતે ભારતીય છે અને આ પ્રકારની મિસાઇલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવે છે. આ પહેલા નાગ મિસાઇલના અન્ય ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. 2017, 2018 અને 2019માં અલગ-અલગ રીતે નાગ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જેમાં અચૂક નિશાન તાકવાની ક્ષમતા છે. નાગ મિસાઇલનું વજન અન્ય મિસાઇલ કરતાં હલકું છે. નાગ મિસાઇલ આશાનીથી દુશ્મનના ટેંકને ટાર્ગેટ કરી શકે છે.

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.

Latest Stories