જામનગર : કોરોના દર્દીઓની સારવાર માટે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા

New Update
જામનગર : કોરોના દર્દીઓની સારવાર માટે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા

જામનગર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાં આવ્યા હતા.

publive-image

જામનગરના BAPS શ્રી સ્વામિનારાયણ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી કોરોના દર્દીઓની સારવાર માટે શહેરની આદર્શ હોસ્પિટલ તેમજ શ્રી કેશવજી અરજન લેઉવા પટેલ સમાજ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

publive-image

આ સેવા કાર્યમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય ધર્મનિધિદાસ સ્વામી તેમજ પૂજ્ય સંતોના શુભહસ્તે પૂજન કરાયેલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર વિવિધ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં જઈ ટ્રસ્ટીઓ અને મુખ્ય તબીબોની ઉપસ્થિતિમાં BAPSના સ્વયંસેવકો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.