Connect Gujarat
Featured

જૂનાગઢ: ગુજરાતમાં લોકડાઉન અંગે સાંજ સુધીમાં આવી શકે છે મોટા સમાચાર, વાંચો સી.એમ.વિજય રૂપાણીએ શું કહ્યું

જૂનાગઢ: ગુજરાતમાં લોકડાઉન અંગે સાંજ સુધીમાં આવી શકે છે મોટા સમાચાર, વાંચો સી.એમ.વિજય રૂપાણીએ શું કહ્યું
X

કોરોના સંક્રમણ ધ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા જુનાગઢ હોસ્પિટલની લીધી મુલાકાત, અધિકારીઓ સાથે કરી બેઠક.

કોરોનના વધતાં સંક્રમણને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હટી બાદમાં જૂનાગઢ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી ત્યારે દર્દીઓને પૂરતી સારવાર ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો દર્દીઓને મળતો રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના 15 દર્દીઓ સાથે તેમના સગા સબંધી હોવાની વાતને લઇ રાજ્યના મુખ્યમંત્રીએ કલેકટરને સૂચના આપતા જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે સગાસબંધીને પ્રવેશ આપવો નહીં.

આ તરફ રાજ્યમાં કોરોનના વધી રહેલા સંક્રમણને અટકાવવા લોકડાઉન અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે એમ સી.એમ.વિજય રૂપાણીએ જણાવ્યુ હતું. 29 શહેરોમાં રાત્રિ કરફ્યુની સમય અવધિ પૂર્ણ થઈ રહી છે ત્યારે લોકડાઉન અને રાત્રિ કરફ્યુ બાબતે સાંજે યોજાનાર કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

Next Story