જુનાગઢ : એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ “ગિરનાર રોપ-વે”ની કામગીરી હવે પૂર્ણતાના આરે

New Update
જુનાગઢ : એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ “ગિરનાર રોપ-વે”ની કામગીરી હવે પૂર્ણતાના આરે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હવે ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણતાના આરે જોવા મળી રહી છે. જુનાગઢનો નહિ પરંતુ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આગામી તા. 24 ઓક્ટોબરના રોજ ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વેના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે બુધવારના રોજ સાંસદ રાજેશ ચુડાસમાએ રોપ-વે સાઇટની મુલાકાત લઈ ટ્રોલીમાં બેસી જાત નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 24ના રોજ ગિરનાર રોપ-વેનું દિલ્હીથી ઇ-લોકાર્પણ કરશે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જુનાગઢ ખાતે કાર્યક્રમમાં હાજરી આપે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સૌરાષ્ટ્રના પ્રવાસનમાં એક મોટો વધારો થતાં પ્રવાસન ક્ષેત્રે જુનાગઢ આગળ વધી રહ્યું છે. જુનાગઢ ખાતે ગિરનાર રોપ-વે શરૂ થતાની સાથે જ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જુનાગઢના ઐતિહાસિક સ્થળ એટલે ઉપરકોટ અને મહોબત મકબરાની પણ રિસ્ટોરેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે જુનાગઢ જિલ્લો એક આગવું નામ ધરાવશે તેમ સ્થાનિકોએ પણ લાગણી વ્યક્ત કરીઓ હતી.

Latest Stories
    Read the Next Article

    PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

    વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

    New Update
    PM Modi Poland Visit

    વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

    આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

    વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.

    Latest Stories