ખેડા : ડાકોર મંદિર દ્વારા કેન્દ્ર સરકારની “ગોલ્ડ બોન્ડ” યોજનામાં કરાશે 28 કિલો સોનાનું રોકાણ, જુઓ કેટલું મળશે વ્યાજ..!

New Update
ખેડા : ડાકોર મંદિર દ્વારા કેન્દ્ર સરકારની “ગોલ્ડ બોન્ડ” યોજનામાં કરાશે 28 કિલો સોનાનું રોકાણ, જુઓ કેટલું મળશે વ્યાજ..!

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોરના ચરણે ભક્તો દ્વારા ધરવામાં આવેલા સોનાના દાગીના અને લગડીને કેન્દ્ર સરકારના ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવાનો નિર્ણય મંદિરના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના ડાકોર મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વર્ષોથી ભેટ સ્વરૂપે આવેલા સોનાના દાગીના, લગડીને ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રણછોડરાયજી મંદિર કમિટી દ્વારા હાલ 28 કિલો અને 186 ગ્રામ સોનું કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં સોનાના ઘરેણાંનું રોકાણ કરી વાર્ષિક સવા બે ટકા લેખે સારું વ્યાજ પણ લેવામાં આવશે. જોકે હાલના બજાર ભાવ પ્રમાણે આ સોનાની કિંમત રૂપિયા 14 કરોડ જેટલી થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1962માં ડાકોર મંદિર દ્વારા 27 કિલો જેટલું સોનું ભારત અને ચીનના યુધ્ધ સમયે સરકારને આપ્યું હતું. જેમાંથી સરકાર દ્વારા 21 કિલો જેટલું સોનું ડાકોર મંદિરને પરત આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંદિર પ્રસાસને વર્ષ 2000ની સાલમાં પણ રોકાણ કર્યું હતું. જે વર્ષ 2014માં પરત ખેંચ્યું હતું, ત્યારે હવે ચાલુ વર્ષે પણ સતત ત્રીજી વખત રોકાણ કર્યું છે. જોકે આ વખતે 28 કિલો 186 ગ્રામ સોનું કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી , દિલ્હી -એનસીઆરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા

દેશભરમાં ચોમાસાનો ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં સ્થિતિ ખરાબ છે. દેશભરમાં નદીઓ છલકાઈ રહી છે. પૂરનો ભય છે.

New Update
વરસાદ

દેશભરમાં વરસાદનો માહોલ છે. ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે. પૂરનો ભય છે.

દેશભરમાં ચોમાસાનો ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં સ્થિતિ ખરાબ છે. દેશભરમાં નદીઓ છલકાઈ રહી છે. પૂરનો ભય છે. તે જ સમયે, રાજસ્થાનમાં મારુગંગા તરીકે ઓળખાતી લુણી નદી પાણીથી ભરેલી છે. આખા વર્ષ દરમિયાન સૂકી રહેતી નદીમાં પાણી જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. તે જ સમયે, બિહારમાં આ ચોમાસામાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, હવામાન વિભાગે રવિવાર અને સોમવારે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે . તે જ સમયે, દિલ્હી- એનસીઆરમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે , પરંતુ ભેજને કારણે પરિસ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે આજે દિલ્હી -એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ઝરમર વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે . IMD અનુસાર , શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું , જે મોસમના સરેરાશ તાપમાન કરતા 0.9 ડિગ્રી ઓછું છે . લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું , જે સામાન્ય તાપમાનથી બે ડિગ્રી ઓછું છે. જોકે , ભેજથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વરસાદનો સમયગાળો મંગળવાર સુધી ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

Latest Stories