દેશમાં આજથી શરૂ થસે ‘કિસાન રેલ’, દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે પ્રથમ ટ્રેન સેવા શરૂ

New Update
દેશમાં આજથી શરૂ થસે ‘કિસાન રેલ’, દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે પ્રથમ ટ્રેન સેવા શરૂ

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતોને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂત લક્ષી રેલ સેવા શરૂ કરવા જઇ રહી છે, દેશમાં ‘કિસાન રેલ’ની શરુઆત 7 ઓગ્સ્ટ એટલે કે આજથી શરુ થઈ રહી છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ વર્ષે યૂનિયન બજેટમાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ખાસ ‘કિસાન રેલ’ દોડવાવાની જાહેરાત કરી હતી. જેનો અમલ થવા જઈ રહ્યો છે.

દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે આ પ્રથમ ટ્રેન સેવા હશે, જે મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુરની વચ્ચે દોડશે.કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.

દુધ, ફળ અને શાકભાજીના અવર-જવર માટે આ સેવા મહત્વપુર્ણ બતાવવામાં આવી રહી છે. તેનાથી જલ્દી ખરાબ થતા કૃષિ ઉત્પાદનો ઓછા સમયમાં બજાર સુધી પહોંચાડી શકાશે. આ ટ્રેન સેવા સાપ્તાહિક હશે, મધ્ય રેલ્વે કિસાન વિશેષ પાર્સલ ગાડીઓને મોટી રાહત મળશે. તેમજ ઓછા સમયમાં ઉત્પાદનો બજારો સુધી પહોચશે. 7 ઓગ્સટથી 30 ઓગસ્ટ વચ્ચે પ્રથમ કિસાન ટ્રેન દર શુક્રવારે દેવલાલી મહારાષ્ટ્રથી 11 કલાકે શરુ થશે અને દર રવિવારે બપોરના 12 કલાકે દાનાપુરના દેવલાલી પહોચશે. આ ટ્રેનમાં કુલ 10 પાર્સલ બૈન અને એક લગેજ બ્રેક બૈન હશે.

આ ટ્રેન નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા,ઈટારસી, જબલપુર,સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી , પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન અને બક્સર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનની આ સેવાથી દેશના ઘણા રાજ્યોના ખેડુતોને સીધો લાભ મળશે.

Read the Next Article

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી

New Update
cricket

ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે.

આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શુભમન ગિલ ના બેટનો જાદુ, મોહમ્મદ સિરાજ ની ઘાતક બોલિંગ અને આકાશદીપ ના કુલ 10 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

58વર્ષનો ઇંતજાર સમાપ્ત: એજબેસ્ટન પર પ્રથમ જીત!

બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. ભારતે અહીં 1967 માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ જીતી શક્યું ન હતું. કપિલ દેવ, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીઓ પણ તેમની કેપ્ટનશીપમાં ભારતને અહીં જીત અપાવી શક્યા ન હતા. આખરે, શુભમન ગિલ ની કેપ્ટનશીપ હેઠળ ભારતે 58 વર્ષ લાંબા પરાજયના સિલસિલાનો અંત લાવ્યો અને ઇતિહાસ રચ્યો.

મેચનો સંપૂર્ણ સારાંશ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, જે નિર્ણય પાછળથી તેમની ટીકાનું કારણ બન્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગિલ ના શાનદાર 269 રનના બળ પર 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 87 અને રવિન્દ્ર જાડેજાએ 89 રનનું યોગદાન આપ્યું. જવાબમાં, ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 158 રન અને જેમી સ્મિથે 184 રન બનાવ્યા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને પ્રથમ ઇનિંગમાં 180 રનની મોટી લીડ મળી.