કચ્છ: ભુજવાસીઓ માટે ઉનાળો આકરો,જુઓ ક્યારે મળે છે પાણી

New Update
કચ્છ: ભુજવાસીઓ માટે ઉનાળો આકરો,જુઓ ક્યારે મળે છે પાણી

કચ્છનાં પાટનગર ભુજ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે શહેરની જરૂરિયાત સામે પૂરતું પાણી મળતું ન હોવાથી અમુક વિસ્તારોમાં લોકોને અઠવાડિયે પણ પાણી મળે છે.

ભુજ નગરપાલિકા વિસ્તારમાં દૈનિક 50 MLD પાણીની જરૂરિયાત છે જોકે તેની સામે નગરપાલિકાને 30 થી 35 MLD પાણી ઉપલબ્ધ થાય છે આ જથ્થો નર્મદા અને બોર આધારિત પાણીનો છે પાણી ઓછું હોવાથી  વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ભુજ શહેરમાં 11 વોર્ડ છે અને શહેરની અંદાજીત વસ્તી 3 લાખ જેટલી છે શિયાળા અને ચોમાસા દરમિયાન વાંધો નથી આવતો પણ ઉનાળામાં પાણીનો પ્રશ્ન પેચીદો બને છે દરરોજ 50 MLD પાણી ની જરૂરીયાત છે જોકે ઓછું પાણી મળતું હોવાથી જેના  અનેક વિસ્તારોમાં 3 થી 4 દિવસે પાણી વિતરણ કરાય છે તેવો નિખાલસ સ્વીકાર ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતે કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું કે,પાણીની ઘટ નિવારવા માટે લાંબા ગાળાનું આયોજન કરાયું છે જેમાં નવી પાઇપો પાથરવી, નવા ટાંકા બનાવવા સહિતના કામો હાથ પર લેવાયા છે જોકે થોડા સમય સુધી વિતરણ વ્યવસ્થા ખોરવાયેલી રહેશે તેમાં પણ બેમત નથી,ગત વર્ષે તો ઉનાળામાં લોકડાઉન હતું પરંતુ આ વખતે અનિયમિત પાણી વિતરણથી નગરપાલિકામાં મોરચાનો ધસારો થશે તેવી શકયતા નકારી શકાતી નથી

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.