“વર્ષની છેલ્લી અમાસ” : કરનાળી-કુબેર ભંડારી મંદિર ક્યારે અને કેટલા કલાક ભક્તો માટે રહેશે બંધ, જાણો...!

New Update
“વર્ષની છેલ્લી અમાસ” : કરનાળી-કુબેર ભંડારી મંદિર ક્યારે અને કેટલા કલાક ભક્તો માટે રહેશે બંધ, જાણો...!

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરનો શાસ્ત્રમાં મહિમા ગવાયો છે. અમાસના રોજ અને તેમાં પણ ગ્રહણની અમાસના

રોજ નર્મદામાં સ્નાન, દર્શન અને કુબેર દાદાની પૂજા

પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે, ત્યારે આવનાર ગુરુવાર તા. ૨૬મીના રોજ વર્ષની છેલ્લી

અમાસ હોવાથી

આ દિવસે

કંકણાંકૃતિ નિમિતે

મંદિર સવારના

૮થી ૧૧ સુધી

ભક્તો માટે બંધ રહેશે.

ડભોઇ તાલુકાના કરનાળી

ખાતે આવેલા વિશ્વના એક માત્ર અને પુરાણખ્યાત કુબેર ભંડારી મંદિર ખાતે ગ્રહણ ટાણે પાળવાની ભારતીય સંસ્કૃતિ અને

સનાતન ધર્મ પ્રેરિત પરંપરાઓને અનુસરીને આગામી ગુરુવારના રોજ સવારના ૮થી ૧૧

વાગ્યાના સમગાળા પૂરતું મંદિર બંધ રહેશે. ગુરુવાર તા. ૨૬મી ડીસેમ્બ ના રોજ વર્ષની

છેલ્લી અમાસ છે અને આ દિવસે કંકણાંકૃતિ સૂર્યગ્રહણ પણ થવાનું છે. તે સિવાય તા. ૨૫મીની મધ્યરાત્રિના ૧૨

વાગ્યાથી તા. ૨૬મીની રાત્રીના ૧૨ વાગ્યા સુધી ૩ કલાક સિવાય ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. ગ્રહણના ૩ કલાક

દરમિયાન નર્મદામાં પવિત્ર સ્નાનનો લાભ લેવા અને પ્રભુ પ્રાર્થના કરવા જણાવવાની

સાથે સ્નાન સમયે જૂના કપડાં, ચપ્પલ, પ્લાસ્ટિકની કોથળીઓ નદીમાં નહીં ફેંકી નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે અનુરોધ કરાયો છે.