મહીસાગર : ધોરાવાડા ગામે કેનાલમાં સર્જાયું ભંગાણ, ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવે તેવી વકી

New Update
મહીસાગર : ધોરાવાડા ગામે કેનાલમાં સર્જાયું ભંગાણ, ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવે તેવી વકી

મહીસાગર જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ મુખ્ય કેનાલમાં અવાર-નવાર ગાબડા પડવા તેમજ કેનાલો લીક થવાના બનાવો વધી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાની સહન કરવી પડે છે, ત્યારે વિરપુર તાલુકાના ધોરાવાડા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા સમયથી 5 ફુટ જેટલું ભંગાણ સર્જાયું છે.

જોકે સદનસીબે હજુ સુધી પાણી લીકેજ થયું નથી પણ હાલના સમયમાં જો કેનાલની મરામત કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકસાની થવાની પૂરી શક્યતા આજુબાજુના ખેડૂતોમાં વર્તાઇ રહી છે.

વિરપુર તાલુકાના ધોરાવાડા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલની બાજુમાં તબેલા સહિત 2થી 3 મકાનો છે. જો આવનાર સમયમાં કેનાલનું રેપેરીંગ કરવામાં નહીં આવે તો તબેલા સહિત મકાનોને ભારે નુકશાની વેઠવાનો વારો આવશે અને અણધાર્યું ગાબડું પાડવાથી જાનમાલ અને પશુ સંપતિને પણ મોટું નુકશાન થઈ શકે તેવી ચિંતા કેનાલની આજુબાજુના વિસ્તારના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

કેનાલ વિભાગના કર્મચારીને જાણ કરવા છતાં હજુ કોઈ તપાસ માટે આવ્યું નથી, ત્યારે લોકોની માંગણી છે કે, અહી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં વહેલી તકે સુજલામ સુફલામ્ કેનાલના અધિકારી સ્થળની મુલાકાત લઈ ચકાસણી કરી તેની મરામત કરાવે જેથી ખેડૂતોને કોઈ અણધારી આફતનો સામનો કરવાનો વારો ન આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Latest Stories