દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના 16 લાખથી વધુ સક્રિય કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ નોંધાયા છે અને 1,51,740 રિકવરી થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 385 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને 8,209 થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં 6.02 ટકાનો વધારો થયો છે.
