બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે ફક્ત પુરુષો પરંપરાગત રીતે ગરબે ઘૂમીને માતાજીની કરે છે આરાધના

પહેલાના જમાનામાં લોકો દેશી ઢોલના તાલે જાતે જ દેશી ગરબા ગાતા હતા અને દેશી આંટીવાળા ગરબા પુરુષો રમતા હતા.જે પરંપરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે પણ જોવા મળી રહી છે.

New Update
Shirwada Village Garba

બનાસકાંઠામાં યોજાય છે ફક્ત પુરુષો માટે ગરબા

Advertisment

પૌરાણિક આંટીવાળા ગરબાની સંસ્કૃતિ આજે પણ છે જીવંત

માત્ર પુરુષો ઢોલના તાલે આંટીવાળા ગરબા રામે છે

વડવાઓએ આપેલ સંસ્કૃતિ આજે પણ યુવાનોએ જાળવી રાખી

ગુજરાતભરમાં પ્રખ્યાત છે આજે પણ આંટીવાળા ગરબા 

Advertisment
બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયમાં વર્ષો જૂની પરંપરાગત આંટીવાળા દેશી ગરબા પુરુષો રમીને માઁ અંબાની આરાધના કરે છે. દેશી ઢોલના તાલે ફક્ત પુરુષો ગરબે ઘૂમે છે. પહેલાના જમાનામાં લોકો દેશી ઢોલના તાલે જાતે જ દેશી ગરબા ગાતા હતા અને દેશી આંટીવાળા ગરબા પુરુષો રમતા હતા.જે પરંપરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે પણ જોવા મળી રહી છે.
અહીંના સ્થાનિક લોકોએ વડવાઓની આ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રીના નવ દિવસ દેશી આંટીવાળા ગરબા રમે છે અને માઁ અંબાની સાચા અર્થમાં આરાધના કરે છે.નવરાત્રીના નવ દિવસ તેઓ દેશી ઢોલના તાલે આંટીવાળા ગરબા પુરુષો જાતે જ રમે છે,જોકે આ ગરબામાં મહિલાઓ પણ સામેલ થતી નથી.મહિલાઓ માત્ર પુરુષોના ગરબા નિહાળવા માટે એકત્ર થાય છે.
એટલે કે જે વડવાઓએ વારસામાં આપ્યું છે તે શિરવાડા ગામ લોકોએ આધુનિક યુગમાં પણ જાળવી રાખી ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે. અને આજે આ ગરબા ગુજરાત ભરમાં ખૂબ જ જાણીતી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

New Update

નવરાત્રી તેના અંતિમ ચરણમાં
આજે આસો નવરાત્રીની આઠમની ઉજવણી
દાંડિયા બજારમાં આવેલ અંબાજી મંદિરે ભક્તોની ભીડ
અંબાજી મંદિરને મળ્યો છે શક્તિપીઠનો દરજ્જો
માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

Advertisment


આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણીક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ  જોવા મળી હતી ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં  માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે.આજે આસો સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે  દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે  આઠમ નિમિત્તે ભક્તોએ માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment