વડોદરા નજીક બ્રિજ ધરાશાયી થતા દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચેના વાહનવ્યવહારને અસર, 60 KMનો વધુ ફેરાવો

બ્રિજ ધરાસાય થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની જોડતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનોએ ઇંધણના વ્યવ સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે

New Update
  • વડોદરા નજીક બ્રિજ થયો ધરાશાયી

  • દુર્ઘટનામાં 15 લોકોના નિપજ્યા મોત

  • વાહનવ્યવહાર પર પણ અસર

  • દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચેના વાહનવ્યવહારને અસર

  • 60 KMનો વધુ ફેરાવો ફરવાનો વારો

વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધારાસભ્ય થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની જોડતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનો એ ઇંધણના વ્યવ સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે
વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાઇ થઈ જતા 15 જેટલા લોકોના મોત નીપજ્યા છે. તો બીજી તરફ મહત્વનો ગણાતો આ બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે.મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજએ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે. જેથી તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ કહી શકાય. બ્રિજ ધરાશાયી થતા હવે ભરૂચ,અંકલેશ્વર ,વાપી તરફના વાહનોએ વધારે ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. 
ખાસ કરીને ભરૂચ અને દહેજમાં ઉદ્યોગોના માલ વાહક વાહનોએ 60 થી 70 કી.મી.નો ફેરાવો ફરવાનો વારો આવશે. બ્રિજ તૂટી જતા ઇંધણના વ્યવ સાથે ટોલટેક્ષ પણ ચૂકવવા લોકો મજબુર બન્યા છે ત્યારે મોટા વાહનો માટે એક ટ્રીપના વધારાના 8થી 9 હજાર ખર્ચ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે 
વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની  માંગ કરવામાં આવી છે. ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્વનો છે ત્યારે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.