નવસારી : કોપીરાઇટ એક્ટનો ભંગ કરતા વેપારીની પોલીસે કરી ધપરકડ,બે વોન્ટેડ

દાહોદની ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રજિસ્ટર્ડ બ્રાન્ડ રાધે માખણ ભોગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોટનું વેચાણ કરવાનો મામલો સામે આવ્યો

New Update
  • કોપીરાઈટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી

  • પોલીસે વેપારીઓ સામે નોંધ્યો ગુન્હો

  • દાહોદનો લોટ વેચતી કંપનીના નામનો કરતા હતા ઉપયોગ

  • રાધે માખણ ભોગ નામની કંપનીના લોગોનો ઉપયોગ

  • એક વેપારીની ધરપકડ,બે વોન્ટેડ જાહેર

નવસારીમાં કોપીરાઈટ એક્ટનો ભંગ કરનારા બે વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દાહોદની ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રજિસ્ટર્ડ બ્રાન્ડ રાધે માખણ ભોગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોટનું વેચાણ કરવાનો મામલો સામે આવ્યો છે.

નવસારીમાં કોપીરાઈટ એક્ટનો વેપારીઓ દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો,જેમાં કોપીરાઈટની દેખરેખ રાખતી એમ.ફોર.યુ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ સર્વિસને માહિતી મળી હતી કે નવસારીના રામજી મંદિર શોપિંગ સેન્ટરમાં બે વેપારીઓ સંતોષ સાધુમલ માખીજા અને મગનમલ માખીજા ઉત્તર પ્રદેશનીMLMP રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટનો લોટ રાધે માખણ ભોગના નામે વેચી રહ્યા છે.

ભવ્ય ફૂડ પ્રોડક્ટ કંપનીના અધિકારી હિરેન મુકેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ સાથે મળીને વેપારીઓના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસમાં રૂપિયા 3 લાખ 14 હજાર 360ની કિંમતના 271 કટ્ટા લોટ જપ્ત કરવામાં આવ્યા હતા.

બંને વેપારીઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છેઅને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે સંતોષ સાધુમલ માખીજાની ધરપકડ કરી હતી,જ્યારે તેના કાકા મગનમલ માખીજા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.