નવસારી : કોપીરાઇટ એક્ટનો ભંગ કરતા વેપારીની પોલીસે કરી ધપરકડ,બે વોન્ટેડ

દાહોદની ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રજિસ્ટર્ડ બ્રાન્ડ રાધે માખણ ભોગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોટનું વેચાણ કરવાનો મામલો સામે આવ્યો

New Update
  • કોપીરાઈટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી

  • પોલીસે વેપારીઓ સામે નોંધ્યો ગુન્હો

  • દાહોદનો લોટ વેચતી કંપનીના નામનો કરતા હતા ઉપયોગ

  • રાધે માખણ ભોગ નામની કંપનીના લોગોનો ઉપયોગ

  • એક વેપારીની ધરપકડ,બે વોન્ટેડ જાહેર

નવસારીમાં કોપીરાઈટ એક્ટનો ભંગ કરનારા બે વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દાહોદની ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રજિસ્ટર્ડ બ્રાન્ડ રાધે માખણ ભોગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોટનું વેચાણ કરવાનો મામલો સામે આવ્યો છે.

નવસારીમાં કોપીરાઈટ એક્ટનો વેપારીઓ દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો,જેમાં કોપીરાઈટની દેખરેખ રાખતી એમ.ફોર.યુ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ સર્વિસને માહિતી મળી હતી કે નવસારીના રામજી મંદિર શોપિંગ સેન્ટરમાં બે વેપારીઓ સંતોષ સાધુમલ માખીજા અને મગનમલ માખીજા ઉત્તર પ્રદેશનીMLMP રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટનો લોટ રાધે માખણ ભોગના નામે વેચી રહ્યા છે.

ભવ્ય ફૂડ પ્રોડક્ટ કંપનીના અધિકારી હિરેન મુકેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ સાથે મળીને વેપારીઓના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસમાં રૂપિયા 3 લાખ 14 હજાર 360ની કિંમતના 271 કટ્ટા લોટ જપ્ત કરવામાં આવ્યા હતા.

બંને વેપારીઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છેઅને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે સંતોષ સાધુમલ માખીજાની ધરપકડ કરી હતી,જ્યારે તેના કાકા મગનમલ માખીજા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.