T20 વર્લ્ડ કપ માટે BCCIએ કરી ટીમની જાહેરાત, બુમરાહ-હર્ષલની વાપસી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે (12 સપ્ટેમ્બર) ICC T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી. અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ટીમમાં પરત ફર્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે (12 સપ્ટેમ્બર) ICC T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી. અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ટીમમાં પરત ફર્યા છે. મોહમ્મદ શમી અને દીપક ચહરની પસંદગી કરવામાં આવી નથી. જોકે શમી અને ચહરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને પણ તેની સાથે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે.
15 સભ્યોની ટીમમાં રવિન્દ્ર જાડેજા પણ નથી. ઈજાના કારણે તે ટીમનો ભાગ નહીં હોય. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી. તેની સર્જરી થઈ છે અને તે લગભગ ચારથી પાંચ મહિના સુધી રમી શકશે નહીં. જાડેજાના સ્થાને અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી નથી.
ટીમ ઈન્ડિયા માટે ભારતીય ટીમમાં ચાર બેટ્સમેન, બે વિકેટકીપર, ચાર ઓલરાઉન્ડર, એક સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે ઝડપી બોલર, એક સ્પિનર અને એક બેટ્સમેન સ્ટેન્ડબાય પર રહેશે.
T20 વર્લ્ડ કપ માટેની ટીમ :
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન. , યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય:
મોહમ્મદ શમી, દીપક ચહર, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ.