ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરમાં વંદે સોમનાથ કાર્યક્રમનો પ્રારંભ,ભારતીય કલા-સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન

વંદે સોમનાથ કાર્યક્રમ 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધીમાં શ્રાવણના દરેક સોમવાર દરમિયાન યોજાશે.કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો છે

New Update
  • વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન

  • શ્રાવણના સોમવારે યોજાશે કાર્યક્રમ

  • દેશભરના કલાકરોએ નૃત્યકલાની કરી પ્રસ્તુતિ

  • શિવના ચરણોમાં કલારૂપી પુષ્પ કર્યું અર્પણ

  • મહાદેવના ભક્તોમાં નૃત્યકલાએ જમાવ્યું આકર્ષણ  

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે'વંદે સોમનાથકાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો છે.આ કાર્યક્રમ શ્રાવણ માસના દરેક સોમવારે 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી યોજાશે.

ગીર સોમનાથ જિલ્લાના અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ અને ગુજરાત ટુરિઝમ સાથે મળીને વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધીમાં શ્રાવણના દરેક સોમવાર દરમિયાન યોજાશે.કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને શિવજીના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે.

કાર્યક્રમમાં રાષ્ટ્રભરના ખ્યાતનામ કલાકારો ભારતીય પરંપરાગત નૃત્ય કલાની પ્રસ્તુતિ આપશે. આ આયોજન સોમનાથ મંદિરના ત્રણ અલગ-અલગ સ્થળોએ થશે. આ કાર્યક્રમના માધ્યમથી સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારતીય નૃત્યકળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત કરાવવામાં આવશે.

Read the Next Article

પંચમહાલ : હાલોલની આદિત્ય બિરલામાં કામદારના મોતથી હોબાળો,પરિવારજનોએ કંપની પાસે કરી વળતરની માંગ

પંચમહાલના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,

New Update
  • આદિત્ય બિરલા કંપનીનો બનાવવા

  • કામદારનું મોત થતાં કંપની બહાર હોબાળો

  • કંપનીમાં ફરજ દરમિયાન લથડી હતી તબિયત

  • પરિવારજનોએ ન્યાય માટે કરી માંગ

  • પરિવારજનોએ કંપની સામે કરી વળતરની માંગ

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,જેના કારણ મૃતકના પરિવારજનો સહિત કામદાર વર્ગે કંપની બહાર મૃતદેહ મૂકીને હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો.

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ આદિત્ય બિરલા કંપનીમાં કાલોલ તાલુકાના સુરેલી ગામનાં પટેલ કમલેશ છેલ્લા 30 વર્ષથી કામ કરતા હતા.કંપનીમાં ફરજ પર હતા તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી.જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બે દિવસની સારવાર બાદ કમલેશ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું.ઘટનના બાદ મૃતકના પરિવારજએ મૃતદેહને કંપની ગેટની પાસે મૂકી દઈને કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો,જ્યારે અન્ય કર્મચારીઓ પણ હોબાળો મચાવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો પણ કંપની પર દોડી આવ્યો હતો,જોકે મૃતકના પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી,જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ન ખોરવા તે માટેના પ્રયાસો કર્યા હતા. 

Latest Stories