વર્લ્ડકપ 2023: ભારતની આજે પ્રથમ મેચ, ઓસ્ટ્રેલિયા સાથે આજે ચેન્નાઈમાં મુકાબલો

કેપ્ટન રોહિત શર્માની ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં તેના ODI વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.

New Update
વર્લ્ડકપ 2023: ભારતની આજે પ્રથમ મેચ, ઓસ્ટ્રેલિયા સાથે આજે ચેન્નાઈમાં મુકાબલો

કેપ્ટન રોહિત શર્માની ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં તેના ODI વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તેને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ભારતની બેટિંગ વર્લ્ડ ક્લાસ છે તો ઓસ્ટ્રેલિયાનું ઝડપી આક્રમણ પણ ઓછું નથી. ચેન્નાઈની આકરી ગરમી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1.30 વાગ્યે થશે.

વર્લ્ડ કપની શરૂઆત પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી. જો કે, પ્રથમ બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે કેટલાક મોટા ખેલાડીઓ ગેરહાજર હતા. આ બંને વન-ડે ભારતે જીતી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવ સહિતના મહત્વના ખેલાડીઓ ત્રીજી વનડેમાં પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ પોતાની પૂરી તાકાતથી રમી હતી. ઓસ્ટ્રેલિયાએ તે ત્રીજી વનડે સરળતાથી જીતી લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ મેચમાં સાવચેતીથી રમવું પડશે. દરેક દિગ્ગજ ક્રિકેટર માને છે કે વર્લ્ડકપ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવા ખૂબ જ જરૂરી છે. કાંગારુઓને ક્યારેય ઓછો આંકી શકાય નહીં.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયા ચાર રસ્તા નજીક ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણ કરાયું...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update
  • ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય

  • ઝઘડીયાAPMC ખાતેથી વિશાળનું આયોજન પણ કરાયું

  • ઝઘડીયા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું

  • સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા

ભરૂચજિલ્લાનાઝઘડીયાખાતેવિશ્વ આદિવાસી દિવસનિમિત્તેક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે અનાવરણકરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડીયાAPMC ખાતેથી બેન્ડવાજાના તાલે રેલી નીકળી ઝઘડીયા ચાર રસ્તા નજીક બિરસા મુંડા પ્રતિમા પાસે પહોચી હતી. ત્યારબાદ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા તેમજ ભગવાન બિરસા મુંડા યુવા સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories