સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયના લોકોને વેક્સિનેશન માટે ઘણી રાહત મળી છે. આ વયના લોકો માટે હવે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેઓને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે.
તે રાજ્યો પર છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં.દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને જાણકારોના માટે ત્રીજી લહેર 6 થી 8 મહિનામાં આવી શકે છે એ પૂર્વે સરકાર વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માંગે છે જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. બીજી તરફ વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન થવામાં વિલંબ, વારંવાર સારવાર ડાઉન જેવા પ્રોબ્લેમ આવી રહ્યા હોવાથી સ્થળ પર જ રજીસ્ટ્રેશના નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રસી માટે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલને વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે.