કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બેઠકોનો દોર, દિવસમાં ત્રણ ઉચ્ચ સ્તરીય બેેઠકોમાં લેશે ભાગ

New Update
Cyclone Tauktae: પીએમ મોદી આજે ગુજરાત અને દીવની મુલાકાતે, પરિસ્થિતિ અને નુકસાનની કરશે સમીક્ષા

દેશમાં વધી રહેલાં કોરોનાના કહેર વચ્ચે દિવસમાં મળી આવતાં કેસની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓ સુપરસોનિક ગતિથી આગળ વધી રહયાં હોવાથી હવે ઓકિસજન અને વેન્ટીલેટર સહીતની સુવિધાઓ ઓછી પડતાં દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહયાં છે. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારના રોજ ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો કરવા જઇ રહયાં છે. સવારે 9 કલાકે એટલે કે ગણતરીની મિનિટોમાં વડાપ્રધાન અધિકારીઓ સાથે બેઠક યોજશે.

દેશમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુદર વધી ગયો છે અને પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ચુકી છે. દેશભરમાં આરોગ્યલક્ષી સાધનો જેવા કે ઓકિસજન સિલિન્ડર અને વેન્ટીલેટરની અછ ત વર્તાઇ રહી છે. ઓકિસજનની અછતના કારણે દર્દીઓ ટપોટપ જીવ ગુમાવી રહયાં છે. બે દિવસ પહેલાં વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કરી લોકોને વેકસીન મુકાવી લેવા તથા ધૈર્ય જાળવી રાખવા અપીલ કરી હતી. દરેક રાજયોને તેમણે છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનને પસંદ કરવા સુચના આપી છે. દેશમાં દરરોજ હાલત બદથી બદતર બની રહી છે. આવા સંજોગોમાં શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી સવારે 9 કલાકે અધિકારીઓ સાથે, 10 કલાકે જયાં કોવીડના કેસ વધારે છે તેવા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તથા 12.30 કલાકે ઓકિસજન ઉત્પાદકો સાથે બેઠક કરશે. ખાસ કરીને હાલમાં કોરોના વાયરસ સીધો ફેફસા પર એટેક કરી રહયો હોવાથી દર્દીઓને વેન્ટીલેટર અને ઓકિસજનની ખાસ જરૂર પડી રહી છે. દેશની મોટા ભાગની હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો ખુટી રહયો હોવાથી ઓકિસજનની વ્યવસ્થા ઝડપથી થાય તે જરૂરી છે. દિવસ દરમિયાન યોજાનારી ત્રણેય બેઠકો બાદ વડાપ્રધાન કેટલીક મહત્વની જાહેરાતો કરે તેવી સંભાવના રહેલી છે. ટુંક સમયમાં વડાપ્રધાન મોદી અને અધિકારીઓ વચ્ચે બેઠકનો પ્રારંભ થવા જઇ રહયો છે

Latest Stories
    Read the Next Article

    PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

    વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

    New Update
    PM Modi Poland Visit

    વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

    આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

    વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.

    Latest Stories