કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બેઠકોનો દોર, દિવસમાં ત્રણ ઉચ્ચ સ્તરીય બેેઠકોમાં લેશે ભાગ

New Update
Cyclone Tauktae: પીએમ મોદી આજે ગુજરાત અને દીવની મુલાકાતે, પરિસ્થિતિ અને નુકસાનની કરશે સમીક્ષા

દેશમાં વધી રહેલાં કોરોનાના કહેર વચ્ચે દિવસમાં મળી આવતાં કેસની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓ સુપરસોનિક ગતિથી આગળ વધી રહયાં હોવાથી હવે ઓકિસજન અને વેન્ટીલેટર સહીતની સુવિધાઓ ઓછી પડતાં દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહયાં છે. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારના રોજ ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો કરવા જઇ રહયાં છે. સવારે 9 કલાકે એટલે કે ગણતરીની મિનિટોમાં વડાપ્રધાન અધિકારીઓ સાથે બેઠક યોજશે.

દેશમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુદર વધી ગયો છે અને પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ચુકી છે. દેશભરમાં આરોગ્યલક્ષી સાધનો જેવા કે ઓકિસજન સિલિન્ડર અને વેન્ટીલેટરની અછ ત વર્તાઇ રહી છે. ઓકિસજનની અછતના કારણે દર્દીઓ ટપોટપ જીવ ગુમાવી રહયાં છે. બે દિવસ પહેલાં વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કરી લોકોને વેકસીન મુકાવી લેવા તથા ધૈર્ય જાળવી રાખવા અપીલ કરી હતી. દરેક રાજયોને તેમણે છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનને પસંદ કરવા સુચના આપી છે. દેશમાં દરરોજ હાલત બદથી બદતર બની રહી છે. આવા સંજોગોમાં શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી સવારે 9 કલાકે અધિકારીઓ સાથે, 10 કલાકે જયાં કોવીડના કેસ વધારે છે તેવા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તથા 12.30 કલાકે ઓકિસજન ઉત્પાદકો સાથે બેઠક કરશે. ખાસ કરીને હાલમાં કોરોના વાયરસ સીધો ફેફસા પર એટેક કરી રહયો હોવાથી દર્દીઓને વેન્ટીલેટર અને ઓકિસજનની ખાસ જરૂર પડી રહી છે. દેશની મોટા ભાગની હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો ખુટી રહયો હોવાથી ઓકિસજનની વ્યવસ્થા ઝડપથી થાય તે જરૂરી છે. દિવસ દરમિયાન યોજાનારી ત્રણેય બેઠકો બાદ વડાપ્રધાન કેટલીક મહત્વની જાહેરાતો કરે તેવી સંભાવના રહેલી છે. ટુંક સમયમાં વડાપ્રધાન મોદી અને અધિકારીઓ વચ્ચે બેઠકનો પ્રારંભ થવા જઇ રહયો છે

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.