રાજકોટ : શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની 2 બાળકીઓનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત...

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. 

New Update

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ સ્થિત શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની 2 બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જોકેકોઈ બચાવે તે પહેલાં જ બન્ને બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. બન્ને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતની છે, અને શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે. બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ બન્ને બાળકીના મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષીય પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની બાળકીઓના મોત નીપજ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ એક ઘટના નથી, પરંતુ ગત માર્ચ મહિનામાં પણ આ જ પ્રકારે દુર્ઘટના સર્જાય હતી. જોકે, આજે ફરી એકવાર રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 2 બાળકીના મોત નીપજ્યા છે, ત્યારે માતા-પિતાએ પણ શીખ લેવા જેવી બાબત છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-