સાથ જીયેંગે સાથ મરેંગે: રાજકોટમાં પ્રેમી-પંખીડાએ કાયમી એક ન થઈ શકવાના ડરે ઝેરના પારખા કર્યા

પ્રેમી પંખીડાએ એક ન થઈ શકવાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો

New Update
સાથ જીયેંગે સાથ મરેંગે: રાજકોટમાં પ્રેમી-પંખીડાએ કાયમી એક ન થઈ શકવાના ડરે ઝેરના પારખા કર્યા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમી પંખીડાએ એક ન થઈ શકવાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગત અનુસાર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભંડારીયા ગામ ખાતે રહેતા વિવેક બાવરીયા તેમજ કિંજલ મોઢએ સવારના 5:00 વાગ્યાના અરસામાં વિવેક બાવરીયાની વાડી ખાતે પહોંચીને ઝેરી દવા પી લેવામાં આવી હતી. ત્યારબાદ સારવાર અર્થે બંનેને ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રથમ વિવેક અને ત્યારબાદ કિંજલે સારવાર દરમિયાન પોતાનો દમ તોડ્યો હતો. જેના કારણે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-