રાજકોટ: "ન કરે એ નારાયણ, ન કરવાનું કરે એ કામીનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની આકરા શબ્દોમાં ઝાટકણી

રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે તેઓએ સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પોસ્ટ લખી છે.

New Update
Parshottam

રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે તેઓએ સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પોસ્ટ લખી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. સંતોની કામલીલા બહાર આવી રહી છે ત્યારે હરિભક્તોમાં રોજ જોવા મળી રહ્યો છે આ તરફ રાજકોટના સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ  સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઝાટકણી કાઢી છે.તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા.
તેઓએ પોસ્ટમાં લખ્યું હતું કે  "ન કરે એ નારાયણ ન કરવાનું કરે એ કામીનારાયણ..કામી નાલાયકોની એક સંસ્થા ભાવનગર રોડ પર ખોલવી જોઈએ" અત્રે ઉલ્લેખનીય  છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ એક પછી એક પોલીસ ફરિયાદ થઈ રહી છે અને તેઓનું કૃત્ય બહાર આવી રહ્યું છે ત્યારે સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સંતોની આકરા શબ્દોમાં ઝાટકડી કાઢી છે તાજેતરમાં ભાયાવદરના ખિસ્સા ગામે યુવતી દ્વારા સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે સમગ્ર પંથકમાં આવા સંતો વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે
Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-