TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ: મેનેજર યુવરાજસિંહને સેશન્સ કોર્ટે જામીન આપ્યા

અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી, જેમાં મેનેજર યુવરાજસિંહનો પણ સમાવેશ થતો હતો

New Update
Rajkot-TRP-game-zone

રાજકોટના TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાના આરોપીઓમાં સામેલ ગેમ ઝોનના મેનેજર યુવરાજસિંહ સોલંકીની જામીન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી દીધી છે. આ અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી, જેમાં મેનેજર યુવરાજસિંહનો પણ સમાવેશ થતો હતો. યુવરાજસિંહની જામીન અરજી પર કોર્ટમાં લાંબી દલીલો ચાલી હતી, જે બાદ સેશન્સ કોર્ટે તેમની અરજી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે.

Latest Stories