/connect-gujarat/media/media_files/2025/04/19/mwhZkt6bHh0CRLc3TLlR.jpg)
તો આજે અમે તમને લસણના અથાણાની રેસિપી જણાવીશું.
ઘરે લસણનું અથાણું બનાવવા માટે લસણ, સરસવનું તેલ, સૂકા આખા લાલ મરચાં, હળદર, રાઈ, મેથીના દાણા, જીરું, અજમો, હિંગ અને મીઠું સહિતની સામગ્રીની જરુર પડશે.
ઘરે લસણનું અથાણું બનાવવા માટે લસણ, સરસવનું તેલ, સૂકા આખા લાલ મરચાં, હળદર, રાઈ, મેથીના દાણા, જીરું, અજમો, હિંગ અને મીઠું સહિતની સામગ્રીની જરુર પડશે.
લસણનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા લસણની કળીઓને જુદી પાડી તેને હાથ વડે ક્રશ કરી લો. ત્યારબાદ લસણની કળીઓમાં એક ચમચી સરસવનું તેલ નાખી બરાબર મિક્સ કરી તડકામાં એક કલાક સુકવો.
લસણનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા લસણની કળીઓને જુદી પાડી તેને હાથ વડે ક્રશ કરી લો. ત્યારબાદ લસણની કળીઓમાં એક ચમચી સરસવનું તેલ નાખી બરાબર મિક્સ કરી તડકામાં એક કલાક સુકવો.
એક કલાક પછી લસણની કળીની છાલ કાઢી લો. હવે લાલ મરચા, સરસવ, વરિયાળી, જીરું, અજમો,મેથીના દાણા સહિતના આખા મસાલાને શેકી લો. ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખી પીસી લો.
એક કલાક પછી લસણની કળીની છાલ કાઢી લો. હવે લાલ મરચા, સરસવ, વરિયાળી, જીરું, અજમો,મેથીના દાણા સહિતના આખા મસાલાને શેકી લો. ત્યારબાદ તેને મિક્સર જારમાં નાખી પીસી લો.
હવે એક તપેલીમાં સરસવનું તેલ ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે આ તેલમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ પાઉડર, હળદર, તેમજ મિક્સરમાં પીસેલા સુકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે એક તપેલીમાં સરસવનું તેલ ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે આ તેલમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ પાઉડર, હળદર, તેમજ મિક્સરમાં પીસેલા સુકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.
તેલમાં બધો જ મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં લસણની કળીઓ ઉમેરી બરાબર હલાવી લો. જેથી લસણની કળી પર મસાલો ચોંટી જાય. હવે આ અથાણાને કાચની બરણીમાં ભરી લો.
તેલમાં બધો જ મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં લસણની કળીઓ ઉમેરી બરાબર હલાવી લો. જેથી લસણની કળી પર મસાલો ચોંટી જાય. હવે આ અથાણાને કાચની બરણીમાં ભરી લો.
આ લસણના અથાણાને અઠવાડિયા સુધી દિવસમાં એક વાર ચમચીથી હલાવતા રહો.ધ્યાન રાખો કે એક અઠવાડિયા સુધી અથાણાને ભીના હાથે અડશો નહીં. એક અઠવાડિયા પછી તમે અથાણાની મજામાણી શકો છો.
આ લસણના અથાણાને અઠવાડિયા સુધી દિવસમાં એક વાર ચમચીથી હલાવતા રહો.ધ્યાન રાખો કે એક અઠવાડિયા સુધી અથાણાને ભીના હાથે અડશો નહીં. એક અઠવાડિયા પછી તમે અથાણાની મજામાણી શકો છો.