સાબરકાંઠા : હિંમતનગર જેલમાં સજા ભોગવી રહેલા 21 કેદીઓને 60 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરાયા

સાબરકાંઠા : હિંમતનગર જેલમાં સજા ભોગવી રહેલા 21 કેદીઓને 60 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરાયા
New Update

સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર જેલમાં સજા ભોગવી રહેલા અને 7 વર્ષથી નીચેની સજાવાળા કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

હાલ ચાલતી કોરોના મહામારીને લઈને સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર જેલમાં સજા ભોગવી રહેલા અને 7 વર્ષથી નીચેની સજાવાળા અરવલ્લીના 13 અને સાબરકાંઠાના 8 કેદીઓ મળી કુલ 21 કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

આ તમામ કેદીઓને 60 દિવસના વચગાળાના જમીન પર કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. હાલ તો, હિંમતનગર જેલના જેલર દ્વારા આ તમામ કેદીઓને આર્થિક મદદ કરી મુક્ત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

#Connect Gujarat News #Sabarkantha #sabarkantha news #Himmatnagar
Here are a few more articles:
Read the Next Article