સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઇવે આઠ ઓવરબ્રીજ પાસે મોપેડમા આગ લાગતા જોત જોતામાં મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી.
પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ હિંમતનગર થી અમદાવાદ તરફ દિનેશભાઈ તેમની પત્ની અને પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. દરમિયાન મોપેડ અચાનક બંધ થતા અને અંદરથી ધુમાડો નિકળતા દિનેશ દ્વારા વ્હીકલને રોડની સાઇડમાં ઉભી રાખીને પાસે આવેલ યોગેશ્વર સોસાયટીમાં પાણી લેવા ગયા અને એટલામાં જોત જોતામા આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગમાં મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી. મોપેડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે હિંમતનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ પરિવાર પતિ, પત્ની અને પુત્રનો આબાદ બચાવ થયો હતો.