આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરુ

New Update
આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરુ

આ તહેવારની સિઝનમાં ભારતીય રેલવેએ પ્રવાસીઓ માટે સારા સમાચાર છે.  રેલવેએ આજ વધારે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે આજથી 392 વિશેષ રેલવે ટ્રેન ચલાવવામાં આવશે.આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધારે ભાડુ વસૂલવામાં આવશે

Advertisment

પશ્ચિમ રેલવેના જણાવ્યા પ્રમાણે  392 સ્પેશિયલ ટ્રેનમાં 5 જોડી બ્રાંદા ટર્મિનસથી, 2-2 જોડી ઈન્દોર અને ઉધનાથી ચલાવવામાં આવશે. ત્યારે 1-1 જોડી ઓખા, પોરબંદર અને ગાંધીધામ સ્ટેશનોથી ચાલશે. રેલવેના જણાવ્યાનુંસાર આ તમામ ટ્રેનો આરક્ષિત રહેશે.

રેલવે દ્વારા તમામ સ્પેશિયલ ટ્રેનોનું વિશેષ ભાડુ વસૂલવામાં આવશે. અને  આનું બુકિંગ 20 ઓક્ટોબરથી આજથી 22 ઓક્ટોબરની વચ્ચે કરી શકાય છે. જોકે પ્રવાસીઓને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.

રેલવેએ જાહેર કર્યુ છે કે દુર્ગાપુજા, દશેરા, દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે રેલવેએ 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. વિશેષ ટ્રેન કોલકત્તા, પટના, વારાણસી, લખનૌઉ જેવા શહેરો માટે ચલાવવામાં આવશે.

રેલવે  ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનો કરતા વધારે વસૂલશે. આ સ્પેશિયલ ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેન કરતા 30 ટકા વધારે રહેશે. રેલવે રોજની 12 હજાર ટ્રેન ચલાવી રહ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ધીરે ધીરે ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જોકે તમામે કોરોનાને લગતા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. નહીંતર સજા થઈ શકે છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં આપઘાત કરવા પહોંચેલ કિશોરીનો સી ડિવિઝન પોલીસે જીવ બચાવ્યો !

ગતરોજ સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં “હું આત્મહત્યા કરવા નર્મદા મૈયા બ્રિજ પર જાવ છું” તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.

New Update
images C divi

ગતરોજ સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં “હું આત્મહત્યા કરવા નર્મદા મૈયા બ્રિજ પર જાવ છું” તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.

જે બાબતે તેના પરીવારના સભ્યો પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા  પોલીસ ઇન્સ્પેકટર  એ.વી.પાણમીયાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપતા કિશોરીની શોધ-ખોળ કરતા કીશોરી રેલ્વે સ્ટેશન પાસેથી મળી આવી હતી અને સમય સુચકતા વાપરી કિશોરીને નર્મદા નદીમાં કુદતા પહેલા બચાવી લેવામાં આવી હતી.કિશોરીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઘરમાં માતા-પિતા તેમજ ફોઈએ ઠપકો આપતા આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કુદી જવા માટે ગઈ હોવાની વિગતો જણાવી હતી જેથી  કિશોરીને તેના પરીવારના સભ્યોનો સર્પક કરી તેઓને સોંપવામાં આવી હતી.
Advertisment
Advertisment
Latest Stories