/connect-gujarat/media/media_files/7tU52I69XsroGthSF8Wh.jpeg)
Team Indiaના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી. સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી આ માહિતી આપી છે. પહેલાં વિરાટ કોહલી પછી રોહિત શર્મા અને હવે જાડેજાએ પણ રિટાયરમેન્ટ લીધું છે.
સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી
રવીન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું - હું ખરા હૃદયે T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી રહ્યો છું. ગર્વથી દોડતા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ તેમ કરવાનું ચાલુ રાખીશ. T20 વર્લ્ડ કપ જીતવો એ એક સ્વપ્ન સમાન, અને એ પુરું થયું. આ જે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ હતી. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર. જય હિંદ. રવીન્દ્રસિંહ જાડેજા.