એશિયા કપ 2025 ટુર્નામેન્ટને લઈને વધુ એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, એશિયા કપની આગામી સિઝનમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો એકબીજા સામે ટકરાશે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન ત્રણવાર ટકરાઈ શકે છે.
બધા ક્રિકેટ ચાહકો એશિયા કપ 2025 ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે અને તે UAEમાં રમાશે. હવે આ ટુર્નામેન્ટ અંગે વધુ એક મોટો અહેવાલ બહાર આવી રહ્યો છે. આ અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025 માં એક નહીં પરંતુ ત્રણ વખત પાકિસ્તાનનો સામનો કરી શકે છે.
એક તરફ BCCI અને PCB વચ્ચે એશિયા કપ 2025 ટુર્નામેન્ટના સ્થળને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ લેટેસ્ટ અહેવાલમાં એવું માનવામાં આવે છે કે આ બંને ટીમો એક કરતા વધુ વખત એકબીજાનો સામનો કરી શકે છે.
એશિયા કપ 2025 ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે અને ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોઈ શકે છે. જો આ સાચું હોય, તો આ બંને ટીમો એશિયા કપ 2025માં ત્રણ વખત એકબીજાનો સામનો કરી શકે છે. કારણ કે બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે એક મેચ રમશે.
આ પછી, તેઓ સુપર સિક્સમાં પણ એકબીજાનો સામનો કરી શકે છે. જો ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરે છે અને ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે છે, તો તેઓ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ કરી છે કે બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ACCની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે બધા સાથે વાત કરી હતી અને મને લાગે છે કે થોડા દિવસોમાં સત્તાવાર પુષ્ટિ થશે.
ભારત અને પાકિસ્તાને છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં દુબઈમાં મેચ રમી હતી. આ ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ BCCIએ તેનો ઈનકાર કરી દીધો હતો, ત્યારબાદ તેની મેચો પણ હાઈબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં યોજાઈ હતી.
ભારતે પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કર્યું અને આ મેચ જીતી લીધી. પાકિસ્તાન પહેલા બેટિંગ કરતા 241 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેના જવાબમાં ભારતે આ મેચ 43 ઓવરમાં જીતી લીધી હતી.
Tags : Asia Cup | cricket | New update | India vs Pakistan | India vs Pakistan match