/connect-gujarat/media/media_files/2025/03/20/kyFJGyjHgTkbbPZNN60z.jpg)
યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો.
યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતાં. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. બુધવારે ચહલની અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈ હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે પોતાનો ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે.
બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પણ માફ કરી દીધો છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે કહ્યું કે, 'તે બંને છેલ્લાં અઢી વર્ષથી અલગ રહે છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.'
ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. જોકે, ચહલ અને ધનશ્રી તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
યુઝવેન્દ્ર ચહલે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેણે ધનશ્રીને સમાધાનની અડધી રકમ આપી દીધી છે. તેથી, તેમનો 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવો જોઈએ, જેને હવે હાઇકોર્ટે સ્વીકારી લીધો છે.
ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર અને એક ઉત્તમ ડાંસર છે. તે ખૂબ જ ગ્લેમરસ પણ છે. ધનશ્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો અને ફોટા શેર કરે છે. તે ટીવીના લોકપ્રિય ડાન્સ શો ઝલક દિખલા જામાં પણ જોવા મળી છે.
વર્ષ 2023માં, યુઝવેન્દ્ર ચહલે તેના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે લખ્યું, એક નવું જીવન આવી રહ્યું છે. આ પછી અભિનેત્રી ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ યુઝર નામમાંથી ચહલ અટક દૂર કરી દીધી. આ પછી તેમના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ. જોકે, તે સમયે બાદમાં ક્રિકેટરે છૂટાછેડાના અહેવાલોને અફવા ગણાવી હતી.
Yuzvendra Chahal | Dhanshree | Divorce Case | Divorced | cricketer