New Update
/connect-gujarat/media/post_banners/6d8a0a305b5494d7b5602d16b339526703a058e0b901368c0bb3796723380d09.webp)
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે કમરના દુખાવાની ફરિયાદ કરી છે. આ કારણે, તે મેચના ચોથા દિવસે તેના નિશ્ચિત ક્રમ પર બેટિંગ કરવા આવ્યો ન હતો. ભારતની ચોથી વિકેટ પડ્યા બાદ શ્રીકર ભરત શ્રેયસ ઐયરની જગ્યાએ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અય્યરે મેચના ત્રીજા દિવસે જ કમરના દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો. શ્રેયસ હાલમાં BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે.