Connect Gujarat
સ્પોર્ટ્સ

જસપ્રીત બુમરાહ T-20 વર્લ્ડ કપમાંથી બહાર, BCCIની મેડિકલ ટીમે સ્કેન રિપોર્ટ જોયા બાદ લીધો નિર્ણય

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો

જસપ્રીત બુમરાહ T-20 વર્લ્ડ કપમાંથી બહાર, BCCIની મેડિકલ ટીમે સ્કેન રિપોર્ટ જોયા બાદ લીધો નિર્ણય
X

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. BCCIની મેડિકલ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ રમવા માટે ફીટ નથી. બીસીસીઆઈ ટૂંક સમયમાં બુમરાહના સ્થાને આવનાર ખેલાડીનું નામ આઈસીસીને મોકલશે.

BCCIએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "મેડિકલ ટીમે માહિતી આપી છે કે, જસપ્રીત બુમરાહ ICC T20 વર્લ્ડ કપ માટે ફિટ નથી. બુમરાહની ફિટનેસ અંગે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. બુમરાહ અગાઉ પીઠના દુખાવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ હવે બીસીસીઆઈ ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે બુમરાહના સ્થાનની જાહેરાત કરશે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ખબર પડી હતી કે જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર છે અને તે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં. પરંતુ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, બુમરાહની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે અને તે વર્લ્ડ કપ રમી શકે છે.

Next Story