Connect Gujarat
સ્પોર્ટ્સ

રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ,T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલા રહેશે

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરી થઈ.

રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ,T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલા રહેશે
X

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરી થઈ. આ પછી, બોર્ડ અને દ્રવિડ વચ્ચે ચર્ચા થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે દ્રવિડ ઓછામાં ઓછા T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલો રહેશે. T20 વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર છે. ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બર 2023થી 7 જાન્યુઆરી 2024 વચ્ચે ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. બોર્ડે કહ્યું છે કે આ અસાઇનમેન્ટ દરમિયાન દ્રવિડ ટીમની સાથે રહેશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે દ્રવિડ પોતાનો કાર્યકાળ આગળ ચાલુ રાખવા માગતા નથી અને વીવીએસ લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કોચ તરીકે મોકલવામાં આવી શકે છે. BCCIના સચિવ જય શાહે ગયા અઠવાડિયે દ્રવિડ સાથે વાત કરી હતી, એમ BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું. આ વાતચીત બાદ દ્રવિડે કોચ તરીકેનો કાર્યકાળ વધારવા માટે સંમતિ આપી હતી.

Next Story