રણજી ટ્રોફી : શમી પછી અન્ય એક ભારતીય બોલર થયો ઘાયલ ..!
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બંને ટેસ્ટ રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણને પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
BY Connect Gujarat Desk13 Jan 2024 9:29 AM GMT
X
Connect Gujarat Desk13 Jan 2024 9:29 AM GMT
ભારતીય પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બંને ટેસ્ટ રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણને પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. જો કે હવે બાકીની ત્રણ મેચોમાં તેની વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. વાસ્તવમાં શુક્રવારે કર્ણાટક અને ગુજરાત વચ્ચેની રણજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેની જાંઘના સ્નાયુઓમાં ખેચ આવી ગયો, પ્રસિદ 2022માં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કારણે તે ઘણા મહિનાઓ સુધી ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યો અને એશિયા કપ 2023 પહેલા બુમરાહ સાથે વાપસી કરી. હવે તે ફરીથી ઘાયલ થયો છે.
Next Story