શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, T20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપાય

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી, T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી

સૂર્યકુમાર યાદવ
New Update

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી. T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.T-20 સિરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ પલ્લેકેલેમાં સાંજે 7:00 વાગ્યે રમાશે. વન-ડે સિરીઝ 2 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે.ભારતીય ટીમે છેલ્લે 2021માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ટીમે 3 વન-ડે અને 3 T-20 મેચની સિરીઝ રમી હતી. ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી હતી, જ્યારે ટી-20 સિરીઝમાં ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીલંકા પ્રવાસ માટેની ટી-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.

 
શ્રીલંકા પ્રવાસ માટેની વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
#ટીમ ઇન્ડિયા #શ્રીલંકા #સૂર્યકુમાર યાદવ
Here are a few more articles:
Read the Next Article