આગામી વર્ષે 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની થવાની છે. આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે.
આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે, BCCIના એક સૂત્રએ કહ્યું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે અને BCCI ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ બદલવા અંગે ICC સાથે વાત કરશે.
BCCI ICC પાસે માંગ કરશે કે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજવામાં આવે. જોકે, પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણયને લઈને BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય
ANIના અહેવાલ મુજબ, BCCI ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC પાસેથી મોટી માંગ કરશે. આ માંગ ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળમાં ફેરફારની હશે. BCCI શ્રીલંકા અથવા દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે ICC સાથે વાત કરશે.