વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાનો આ ગુજરાતી ખેલાડી બનશે વાઇસ કેપ્ટન !

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

New Update
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાનો આ ગુજરાતી ખેલાડી બનશે વાઇસ કેપ્ટન !

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી 11 જૂન સુધી લંડનના ઓવલ મેદાનમાં આ મોટી મેચ રમવાની છે પણ આ વચ્ચે દરેક લોકોણઆ મનમાં એક સવાલ છે કે આ મેચમાં વાઇસ કેપ્ટન કોણ હશે? નોંધનીય છે એ વાઇસ કેપ્ટનનું નામ ટીમની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં વાઈસ-કેપ્ટન્સીની જવાબદારી કોણ નિભાવશે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભલે રોહિત શર્મા માટે ડેપ્યુટીના નામની જાહેરાત ન કરી હોય પણ હાલ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે અને એ અનુસાર ચેતેશ્વર પૂજારાને ઉપ-કપ્તાનીની જવાબદારી મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ લીધા બાદ ટીમ 23 મેના રોજ સબમિટ કરવામાં આવશે જે દરમિયાન પૂજારા ને સત્તાવાર વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયા માટે આ જવાબદારી નિભાવી ચૂક્યો છે.

Read the Next Article

ટીમ ઈન્ડિયા સહિત વિદેશી ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

12 જૂનના રોજ અમદાવાદમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટના બની હતી જ્યારે એર ઇન્ડિયાનું વિમાન લંડન જતી વખતે ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

New Update
aaa

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમના ખેલાડીઓ આજથી એકબીજા સાથે પ્રેક્ટિસ મેચ રમી રહ્યા છે. આ મેચ ચાર દિવસની મેચ હશે અને શુક્રવારે મેચના પહેલા દિવસે, ખેલાડીઓએ સપોર્ટ સ્ટાફ સાથે મેચ શરૂ થાય તે પહેલાં મૌન પાળ્યું અને કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા.

ટીમ ઇન્ડિયા બ્રિટિશ ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. તે 20 જૂનથી શરૂ થશે. ટીમ ઇન્ડિયાએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ લાયન્સ સામે બે પ્રેક્ટિસ મેચ રમી હતી. આ પછી, હવે ભારતીય ખેલાડીઓ એકબીજા સાથે રમશે.

ટીમ ઇન્ડિયાએ કાળી પટ્ટી બાંધી

જ્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આ મેચ રમવા માટે નીચે આવ્યા ત્યારે તેઓએ એક મિનિટનું મૌન પાળ્યું. સપોર્ટ સ્ટાફે પણ તેમાં ભાગ લીધો. આ ઉપરાંત, ટીમના ખેલાડીઓ પોતાના હાથમાં કાળી પટ્ટી પહેરીને નીચે આવ્યા. ગઈકાલે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને કારણે ટીમ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો છે. ગઈકાલે, અમદાવાદમાં ટેકઓફ થયા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, ટીમ ઈન્ડિયાએ મૌન પાળ્યું અને કાળી પટ્ટી બાંધી.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ પણ શ્રદ્ધાંજલિ આપી.

આ દરમિયાન, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં રમાઈ રહી છે. આજે આ મેચનો ત્રીજો દિવસ છે. આ મેચમાં પણ બધા ખેલાડીઓ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધીને બહાર આવ્યા હતા. અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને કારણે આ ટીમોએ પણ આ નિર્ણય લીધો છે.