સાઉથના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન

New Update
સાઉથના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન

સાઉથ સિનેમાના જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. તમિલ અભિનેતા ડેનિયલનું શુક્રવારે એટલે કે 29 માર્ચ રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શુક્રવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી,

ત્યારબાદ તેને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. અભિનેતાના નિધનથી ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ડેનિયલના અંતિમ સંસ્કાર આજે તેમના પુરસાઈવલકમ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવશેડેનિયલ બાલાજીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધી પડદા પર ઘણી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા વિલનની ભૂમિકાથી મળી.

Read the Next Article

જેઠાલાલ-બબીતાજી શોમાંથી ગાયબ, અન્ય કાસ્ટની હાલત ખરાબ ! તારક મહેતામાં એવું તો શું થયું?

ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

New Update
tmkoc

ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ખૂબ ચર્ચામાં છે. શોમાં ફરી એકવાર એક ભયાનક સ્ટોરી જોવા મળી રહી છે. ગોકુલધામ સોસાયટીના લોકો પિકનિક માટે બંગલામાં ગયા છે, જ્યાં ભૂતનો પડછાયો છે. મુનમુન દત્તા અને દિલીપ જોશી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે.

શોમાં દેખાડ્યા મુજબ જેઠાલાલ તેમના વ્યવસાયિક સંગઠનના લોકો સાથે ફરવા ગયા છે. જ્યારે બબીતાજી અને ઐયર મહાબળેશ્વર ગયા હતા. ડોક્ટર હાથી અને તેમની પત્ની અને ગોકુલધામ સોસાયટી અન્ય લોકો પિકનિક પર ગયા હોવાનું જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બધા જોવા મળી રહ્યા છે પણ બબીતાજી અને જેઠા લાલ આ દરમિયાન શોમાં દેખાયા જ નથી.

બાકીના બધા લોકો પિકનિક માટે ગયા છે તે બંગલો તારક મહેતાના બોસનો છે. આ બંગલામાં ભૂતનો પડછાયો છે. ગોકુલધામ સોસાયટીને આ વાતની ખબર નથી. બધાએ બંગલામાં એક રાત વિતાવી છે. રાત્રે આત્મારામ ભીડેને એક ભૂત દેખાય છે. છત પર ભૂત જોઈને આત્મારામ ભીડે ડરી જાય છે. તે તેની પત્ની માધવીને આ વાત કહે છે.

જોકે, માધવી આ વાત માનતી નથી અને ભીડેને સૂવડાવી દે છે. બીજા દિવસે, ભીડેની ડરને કારણે હાલત ખરાબ થઈ જાય છે. તે બધાને ભૂત વિશે કહે છે. કેટલાક લોકો ટેન્શનમાં આવી જાય છે. જોકે, તારક મહેતા તેમને સમજાવે છે કે ભૂત જેવું કંઈ નથી. હવે આવનારા દિવસોમાં જોવા મળશે કે ગોકુલધામ સોસાયટી આ ખરેખર ભૂત છે કે પછી ભૂત બનીને રહેતુ કઈ વ્યક્તિ તે જોવુ રહ્યું. પણ આ દરમિયાન બબીતાજી અને જેઠાલાલ આખા એપિસોડમાં નહીં જોવા મળ્યા.