વેસ્ટઇન્ડિઝના ખેલાડી સુનિલ નારાયણ T-20 વર્લ્ડકપ માટે નિવૃત્તિ પાછી નહીં લે
વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી નહીં લે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.
BY Connect Gujarat Desk24 April 2024 3:42 AM GMT
X
Connect Gujarat Desk24 April 2024 3:42 AM GMT
વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી નહીં લે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. તે કહે છે કે હવે તેના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેકના દરવાજા બંધ થઈ ગયા છે. તે ICC વર્લ્ડ કપમાં એવા ખેલાડીઓને સપોર્ટ કરશે જેઓ છેલ્લા કેટલાક સમયથી તેની તૈયારી કરી રહ્યા છે. સુનીલ નારાયણે નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે તેની છેલ્લી મેચ 2019માં વેસ્ટ ઈન્ડિઝ માટે રમી હતી.નરિન આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં, IPLમાં કોલકાતા માટે ઓપનિંગ કરતી વખતે, તેણે 7 મેચમાં 176.54ના સ્ટ્રાઈક રેટથી 286 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે 7 મેચમાં 7.11ના ઈકોનોમી રેટથી 9 વિકેટ લીધી છે.
Next Story