શું ટીમ ઈન્ડિયા સતત 15મી ટેસ્ટ સિરીઝ જીતીને રચશે ઈતિહાસ?
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં શ્રીલંકા સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી.
BY Connect Gujarat Desk11 March 2022 6:33 AM GMT
X
Connect Gujarat Desk11 March 2022 6:33 AM GMT
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં શ્રીલંકા સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જે ભારતીય ટીમે એક દાવ અને 222 રને જીતી હતી. હવે શ્રેણીની છેલ્લી એટલે કે બીજી ટેસ્ટ બેંગલુરુમાં 14 માર્ચથી રમાશે. એ પિંક બોલ ટેસ્ટ હશે.
જો ભારતીય ટીમ આ ડે-નાઈટ ટેસ્ટ જીતશે તો તે ઘરઆંગણે સતત 15મી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચશે. ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાની બાબતમાં ભારતીય ટીમની નજીક પણ કોઈ ટીમ નથી. ભારતીય ટીમ નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે છેલ્લી હોમ ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો. ત્યાર પછી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી.
Next Story