🔴 Breaking
ભરૂચ : ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી…ભરૂચ: સબજેલમાં 14 વર્ષથી વધુ સજા ભોગવનાર પાકા કેદીની વહેલી જેલમુક્તિભરૂચ: આમોદના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે,ખેડૂતોએ અધિકારી પર ધાકધમકીના લગાવ્યા આક્ષેપભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ : ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી…ભરૂચ: સબજેલમાં 14 વર્ષથી વધુ સજા ભોગવનાર પાકા કેદીની વહેલી જેલમુક્તિભરૂચ: આમોદના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે,ખેડૂતોએ અધિકારી પર ધાકધમકીના લગાવ્યા આક્ષેપભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત 
ગુજરાત

તીસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સુનવણી, મહિલા હોવાથી તિસ્તાને જામીનનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા,

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે ગુજરાત સરકારને તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર આધાર અંગે સવાલ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયાધીશો એસ રવિન્દ્ર ભટ્ટ તથા સુધાંશુ ધુલિયાને સમાવતી બેન્ચે ગુજરાત સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે તીસ્તા વિરુદ્ધ કયા પુરાવા અને સામગ્રી એકત્ર કરાઈ છે? શું પોલીસ ધરપકડથી કોઈ લાભ મળ્યો અને કેસની તપાસ ક્યાં સુધી પહોંચી? સુપ્રીમે કહ્યું કે અત્યાર સુધી તો એફઆઈઆર માત્ર સુપ્રિમ કોર્ટના આદેશ પર જ લાગે છે. તીસ્તા પર કોઈ યુએપીએ જેવા આરોપ નથી કે જામીન આપી ના શકાય. આ સાધારણ સીઆરપીસીની કલમ છે. તે મહિલાને અનુકૂળ ચુકાદાનો અધિકાર ધરાવે છે. આ સાથે બેન્ચે વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે.

ગુજરાત સરકારે તીસ્તાના જામીનનો વિરોધ કરતા કહ્યું કે શેતલવાડ એક વરિષ્ઠ રાજકીય નેતાના ઈશારા પર કાવતરું રચ્યું અને તેના માટે તેને મોટી રકમ મળી હતી. સુપ્રીમની બેન્ચમાં સુનાવણીના એક દિવસ પહેલા સોગંદનામું દાખલ કર્યું હતું. સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટમાં તીસ્તા શેતલવાડની જામીન અરજીને ૧૯મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવાની બાબત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ૩જી ઑગસ્ટે નોટિસ પાઠવીને ૧૯મી સપ્ટેમ્બરે કેસની સુનાવણી નિશ્ચિત કરી. શું જામીનના કેસમાં છ સપ્તાહનો સમય આપવો જોઈએ?

ગુજરાત

તીસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સુનવણી, મહિલા હોવાથી તિસ્તાને જામીનનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા,

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે ગુજરાત સરકારને તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર આધાર અંગે સવાલ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયાધીશો એસ રવિન્દ્ર ભટ્ટ તથા સુધાંશુ ધુલિયાને સમાવતી બેન્ચે ગુજરાત સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે તીસ્તા વિરુદ્ધ કયા પુરાવા અને સામગ્રી એકત્ર કરાઈ છે? શું પોલીસ ધરપકડથી કોઈ લાભ મળ્યો અને કેસની તપાસ ક્યાં સુધી પહોંચી? સુપ્રીમે કહ્યું કે અત્યાર સુધી તો એફઆઈઆર માત્ર સુપ્રિમ કોર્ટના આદેશ પર જ લાગે છે. તીસ્તા પર કોઈ યુએપીએ જેવા આરોપ નથી કે જામીન આપી ના શકાય. આ સાધારણ સીઆરપીસીની કલમ છે. તે મહિલાને અનુકૂળ ચુકાદાનો અધિકાર ધરાવે છે. આ સાથે બેન્ચે વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે.

ગુજરાત સરકારે તીસ્તાના જામીનનો વિરોધ કરતા કહ્યું કે શેતલવાડ એક વરિષ્ઠ રાજકીય નેતાના ઈશારા પર કાવતરું રચ્યું અને તેના માટે તેને મોટી રકમ મળી હતી. સુપ્રીમની બેન્ચમાં સુનાવણીના એક દિવસ પહેલા સોગંદનામું દાખલ કર્યું હતું. સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટમાં તીસ્તા શેતલવાડની જામીન અરજીને ૧૯મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવાની બાબત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ૩જી ઑગસ્ટે નોટિસ પાઠવીને ૧૯મી સપ્ટેમ્બરે કેસની સુનાવણી નિશ્ચિત કરી. શું જામીનના કેસમાં છ સપ્તાહનો સમય આપવો જોઈએ?