Connect Gujarat
સુરત 

સુરત : પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તોક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત

પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તો ક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત

સુરત : પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તોક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઓડિશાના 55 વર્ષીય સંતોષ રાઉત એકલા રહેતા હતા. તેમનો પરિવાર વતનમાં રહે છે.

સંતોષ લૂમ્સના ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. લુમ્સના ખાતામાં નાઇટ ડ્યુટીમાં કામ કરતા હતા. પરિવારમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની છે. આજે સવારે સંતોષ રાઉત નાઇટડ્યુટી કરી ઘરે પરત ફરી રહ્યા હતા.

દરમિયાન પાંડેસરા દક્ષેશ્વર ચોકડી ખાતે રોડ ક્રોસ કરતા હતા.

ત્યારે પૂરપાટ આવી રહેલી આઇશર ટ્રેક અડફેટે લીધા હતા. ત્યારબાદ કચડી નાખ્યા હતા. ટ્રકનું ટાયર પેટ પરથી ફળી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ આઇશર ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ સંતોષના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. જ્યારે પોલીસે ટ્રક કબજે લઈ ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ સંતોષના પરિવારને જાણ કરતા વતન ઓડિશથી સુરત આવવા રવાના થઈ ગયું છે.

Next Story