સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો.

New Update
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લોકોને ચોકાવી દીધા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વર્ષે પાછળ ધકેલાતા વડોદરાને અગ્રેસર લાવવાની વાત કરી હતી.

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો.તેમણે મેયર કેયુર રોકડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની અગાઉની મુલાકાત બાદ રાજ્યના 2 મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તથા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી, ત્યારે બંછાનિધી પાનીએ સોમવારના રોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. બંછાનિધી પાનીએ પહેલા જ દિવસે પાલિકામાં સરપ્રાઇઝ આપી છે. તેઓ સવારે 10:30 કલાકે પાલિકાની કચેરીમાં આવવાના હતા. પરંતુ તેઓ સવારે 10 વાગ્યા પહેલા જ કચેરીએ પહોંચ્યા હતા. જેથી તમામ અધિકારીઓ ચકિત રહી ગયા હતા. મેયર સાથેની મુલાકાત બાદ વિવિધ વિભાગના વડાઓ સાથે રિવ્યુ મિટીંગ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ વડોદરાના વિકાસને લઇ પોતાનું વિઝન વ્યક્ત કટયું હતું.

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.