સુરત વરાછા વિસ્તારના અટલજી નગરમાં ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રસ્ત

આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી

New Update

વરાછા વિસ્તારના અટલજી નગરમાં ગટરના પાણી ફરી વળ્યા

વિવિધ સોસાયટીઓમાં પાણી રસ્તે ફરી વળતાં લોકોને હાલાકી

ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળ્યો

સમગ્ર મામલે સ્થાનિકોએ વહીવટી તંત્રને રજૂઆત પણ કરી

નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર

સુરત શહેરના વરાછા વિસ્તારના અટલજી નગરની વિવિધ સોસાયટીઓમાં ગટરના પાણી રસ્તે ફરી વળતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારના અટલજી નગરની વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટર માથાના દુખાવા સમાન બની રહી છે.

ઠેર ઠેર ગટરના દુર્ગંધ મારતા પાણી ફરી વળતાં લોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છેત્યારે સ્થાનિકોએ તંત્રધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી છે. તેમ છતાં આજદિન કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.