-
ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિ
-
લોકોને ભારતની તાકાત બતાવવા માટેનો મળ્યો છે અવસર
-
દરિયાઈ લડાકુ જહાજ INS સુરત સુરત ખાતે આવી પહોચ્યું
-
લડાકુ જહાજ INS સુરત અદાણી પોર્ટ પર 2 દિવસ માટે રહેશે
-
INS સુરત અંગે ભારતીય નૌકા દળ દ્વારા માહિતી પણ અપાશે
ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં લોકોને ભારતની તાકાત બતાવવા “INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે.
INS સુરત એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ -ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે. આ જહાજ પ્રોજેક્ટ 15 હેઠળ બનેલા ડિસ્ટ્રોયરની શ્રેણીનું છેલ્લું છે. શરૂઆતમાં, આ જહાજનું નામ બંદર શહેર પોરબંદર પરથી રાખવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તેનું નામ બદલીને સુરત શહેરનું નામ INS સુરત રાખવામાં આવ્યું હતું. આ જહાજને ભારતીય નૌકાદળનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ -સક્ષમ યુદ્ધ જહાજ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.
જોકે, હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં લોકોને ભારતની તાકાત બતાવવા માટે દરિયાઈ લડાકુ જહાજ “INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરત કલેક્ટર દ્વારા INS સુરતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત INS સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે, ત્યારે દરિયાઈ લડાકુ જહાજ સુરતમાં 2 દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. 2 દિવસ દરમ્યાન પોલીસ ઑફિસર, NCC સ્ટુડન્ટ ઉપરાત અન્ય અધિકારીઓ સહિત લોકો આ જહાજને અંદરથી જોઈ શકશે. એટલું જ નહીં, ભારતીય નૌકા દળના અધિકારીઓ INS સુરત કેવી રીતે કામ કરે છે, તે અંગે લોકોને વિસ્તૃત માહિતી પણ આપશે.