સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતની તાકાત બતાવવા “INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું...

INS સુરત એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ -ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે. આ જહાજ પ્રોજેક્ટ 15 હેઠળ બનેલા ડિસ્ટ્રોયરની શ્રેણીનું છેલ્લું છે.

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિ

  • લોકોને ભારતની તાકાત બતાવવા માટેનો મળ્યો છે અવસર

  • દરિયાઈ લડાકુ જહાજ INS સુરત સુરત ખાતે આવી પહોચ્યું

  • લડાકુ જહાજ INS સુરત અદાણી પોર્ટ પર 2 દિવસ માટે રહેશે

  • INS સુરત અંગે ભારતીય નૌકા દળ દ્વારા માહિતી પણ અપાશે 

ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં લોકોને ભારતની તાકાત બતાવવા “INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે.

 INS સુરત એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ -ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે. આ જહાજ પ્રોજેક્ટ 15 હેઠળ બનેલા ડિસ્ટ્રોયરની શ્રેણીનું છેલ્લું છે. શરૂઆતમાંઆ જહાજનું નામ બંદર શહેર પોરબંદર પરથી રાખવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તેનું નામ બદલીને સુરત શહેરનું નામ INS સુરત રાખવામાં આવ્યું હતું. આ જહાજને ભારતીય નૌકાદળનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ -સક્ષમ યુદ્ધ જહાજ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.

જોકેહાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં લોકોને ભારતની તાકાત બતાવવા માટે દરિયાઈ લડાકુ જહાજ “INS સુરત” સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરત કલેક્ટર દ્વારા INS સુરતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત INS સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છેત્યારે દરિયાઈ લડાકુ જહાજ સુરતમાં 2 દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. 2 દિવસ દરમ્યાન પોલીસ ઑફિસર, NCC સ્ટુડન્ટ ઉપરાત અન્ય અધિકારીઓ સહિત લોકો આ જહાજને અંદરથી જોઈ શકશે. એટલું જ નહીંભારતીય નૌકા દળના અધિકારીઓ INS સુરત કેવી રીતે કામ કરે છેતે અંગે લોકોને વિસ્તૃત માહિતી પણ આપશે.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.