સુરત: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી,રાજ્યમાં 169 બળાત્કારની ઘટના બની:શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક,તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

New Update
  • કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમરકસી

  • પ્રદેશ કક્ષાના નેતાઓએ યોજી પત્રકાર પરિષદ

  • ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ,અને આ તબક્કે પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી,જેમાં કોંગ્રેસના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાઓએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતોઆ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ,પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક,તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસને પુનઃ બેઠી કરવા અને સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ તબક્કે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા,અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબજ કથળી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જ્યારે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યુ હતું કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર વિશે જે નિવેદન આપ્યું તે આપત્તી જનક છે.અને અમિત શાહ પોતાના પદ પરથી રાજીનામુ આપે તેવી અમારી માંગણી છે,અને વડાપ્રધાન દ્વારા પણ તેઓને છાવરી રહ્યા હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.

આ ઉપરાંત પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે,અને રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતની ઘટનાઓ વધી છે,ત્યારે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ તેઓએ કરી છે.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.